ડેટ્રોઈટના ડૉક્ટરની ગિરફ્તારી, ખતના વિષે વાતચીત કરવા માટેની એક તક છે

(આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 14 મે 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here.)

લેખક: અનામી

ઉંમર : 33
દેશ : પુણે, ભારત

મારા પર ‘ખતના’ની પ્રક્રિયા કરવામાં આવી હોવાનું મને સ્પષ્ટ રીતે યાદ હોવા છતાં મેં મિસાક લીધા પછી, દાઉદી બોહરા સમાજમાં અપનાવવામાં આવતી આ પ્રથા વિષે મેં પ્રશ્ન કરવાની શરૂઆત કરી. આ પ્રથા હંમેશા ખોટી લાગતી હતી પરંતુ, જો મારી માં, બહેન અને સમાજના લગભગ બધા જ લોકો આ પ્રથાને અપનાવતા હોય ત્યારે હું કેવી રીતે પ્રશ્ન ઉઠાવી શકું?

હું -મસ્જિદમાં જતી, ઉપવાસ કરતી અને મારા પાસે જેવી અપેક્ષા રાખવામાં આવે તે બધું જ કરતી એક નાની આજ્ઞાકારી બોહરા દીકરી હતી.મિસાક લીધા પછી, એક બોહરા બૈરા તરીકે મારા પરની કઠોર મર્યાદાઓમાં વધારો થવા લાગ્યો. ‘ખતના’ વિષે જાણવાની મારી ઉત્સુક્તાને કારણે હું તે વિષેની માહિતી શોધવા લાગી. પરંતુ પ્રામાણિક્તાથી કહું તો ગુગલમાં શું ટાઈપ કરવું તે પણ મને ખબર નહોતી. અંતે ગમે તેમ કરી જ્યારે મેં તે માહિતી શોધી ત્યારે, આફ્રિકામાં થતાં બૈરાઓના જેનિટલ મ્યુટિલેશનના લોહીલુહાણ ફોટાઓથી મારા કૉમ્પ્યુટરની સ્ક્રીન ભરાઈ ગઈ પરંતુ, બોહરા સમાજમાં આ પ્રથા અપનાવવામાં આવી રહી છે તે વિષે બહુ જ થોડી માહિતી હતી અથવા તો તેવી માહિતી ઉપલબ્ધ જ નહોતી. સ્પષ્ટ છે કે બોહરા સમાજમાં આ બાબત વિષે વાત કરવાની મનાઈ હતી પરંતુ, મારી કૉલેજની એક સહિ હતી જે મારી ઉંમરની બોહરા દીકરી હતી અને મનેતેના પર વિશ્વાસ હતો. તેણીએ કહ્યું કે “મને લાગે છે કે જ્યારે આપણે મોટા થશું ત્યારે આપણને કોઈ સમસ્યા આવી શકે છે અને કદાચ આપણે ક્યારેય સેક્સનો આનંદ નહિં લઈ શકીએ.” એ તેણીના જ્ઞાનની મર્યાદા હતી અને તેણી પણ મારા જેટલી જ કનફ્યુઝ હતી. મારા ગુસ્સામાં વધારો થઈ રહ્યો હતો કારણ કેસમાજના ઘણા નિયમો ખાસ કરીને, બૈરાઓ માટેના નિયમો લોજિક વિનાના, જૂનવાણી અને એકદમ બિનજરૂરી હતા અને તે બધામાં ‘ખતના’ પ્રથા સૌથી વધુ ક્રૂર હતી.

મારા પોતાના અનુભવ કરતા, મારી મોટી બહેનની દીકરી જ્યારે સાત વર્ષ (જે ઉંમરે ‘ખતના’ની પ્રક્રિયા કરવામાં આવે છે)ની થઈ તે સમય મારા માટે ખૂબ જ કઠીન હતો. એ બાબત સ્પષ્ટ હતી કે મારી બહેન અને માં બન્ને આ પરંપરાને ચાલુ રાખવાની યોજના કરી રહ્યાં હતા. મારી માસુમ ભત્રીજીને ડરતી જોઈહું એકદમ અસહાય અને નિરાશા મેહસુસ કરી રહી હતી. અંગને કાપ્યાની પછીની રાત્રીએ તેણીને પીડામાં જોઈને મને ખૂબ જ દુઃખ થયું. આ ક્રૂર પ્રથાની આસ્થા ધાર્મિક અને સંસ્કૃતિક રીતે એટલી બધી ઊંડે સુધી છે કે તેને ઉખાડી ફેંકવી ખૂબ જ મૂશ્કેલ છે. જો કોઈ બદલાવ આવવો જોઈએ તો તે સમાજની અંદરથી જ આવવો જોઈએ. પરંતુ, જ્યારે કોઈ એ વિષે બોલવા જ તૈયાર ના હોય તો, કેવી રીતે બદલાવ આવી શકે?

અમેરિકામાં નાની દીકરીઓ પર ‘ખતના’ પ્રક્રિયા કરતા ત્રણ ડૉક્ટરોની ગિરફ્તારીના સમચાર ફેલાઈ રહ્યાં હોય, આપણા માટે એ ખૂબ જ અગત્યનું અને મહત્વપૂર્ણ બની જાય છે કે આપણે સમાજની અંદર તે વિષે એકબીજા સાથે વાત કરીએ. મને ખાતરી છે કે આપણા સમાજની અંદર એક પણ બૈરી એવી નહિં હોય જેણે ક્યારેય આ પ્રથા સામે પ્રશ્ન ઉઠાવ્યો ના હોય. અંતે, કેવી રીતે કોઈ માં ઈચ્છાપૂર્વક પોતાની દીકરીને આવી પીડા સહન કરવા દે? મોઢું ફેરવી લઈ, મિશિગનમાં જે કંઈ થયું તેનાથી આપણે કંઈ લેવા-દેવા નથી એવું માનવાના બદલે, આપણે તે વિષે વાત કરી અને પ્રશ્ન ઉઠાવી, તેનો એક તક તરીકે ઉપયોગ કરવો જરૂરી છે.

આ સમાજમાં હું મોટી થઈ હોવાથી, હું આ સમસ્યાના દરેક પાસાઓને સારી રીતે સમજું છું, કોઈપણ બોહરા આ બાબતમાં વાત કરવા ઈચ્છતા નથી કારણ કે તે ગુપ્ત અંગો અને બૈરીઓના જાતીય અંગોવિષેની વાત છે અને સેક્સ વિષે વાત કરવાનીમનાઈ છે. પરંતુ, કુટુંબીજનો અને મિત્રોના નાના-નાના સમૂહોમાં સાથે મળી આપણે આ જૂનવાણી પ્રથાને ફરી તપાસવી જરૂરી છે. હવે સહિયો જેવી નોન-પ્રોફિટ સંસ્થાઓ ઉપલબ્ધ છે, જે સમાજના લોકોને માહિતગાર અને શિક્ષિત કરવા વચનબદ્ધ છે. એવા ઘણા વૈજ્ઞાનિક ડૅટા ઉપલબ્ધ છે જે સાબિત કરે છે કે આ પ્રથા અપનાવાથી કોઈપણ પ્રકારનો લાભ થતો નથી. આપણાંમાથી જે લોકો ઈચ્છતા હોય તેમણે, મદરસા અને કૉલેજો, અન્ય સામાજીક સંસ્થાઓ અથવા પીટિશન પર સહી કરવા દ્વારા આપણા અનુભવોને શેર કરવાના માર્ગ શોધવા જરૂરી છે. એવી વ્યવસ્થા સામે આપણે આપણો અવાજ બુલંદ કરવો જરૂરી છે, જે સમાજના લોકો માટે ઘાતક હોય અને ‘ખતના’ જેવી ક્રૂર પ્રથા સમાજના લોકો માટે લાભદાયક છે તેવું બ્રેનવૉશ કરે.

પૂરા વિશ્વમાં મારી ઘણી એવીસહિયો છે જેમને નાની-નાની દીકરીઓ છે અથવા તો નજીકના ભવિષ્યમાં તેમને ત્યાં નાના બચ્ચાઓ જન્મ લેશે. અવશ્ય તેઓ તેમની દીકરીઓને પ્રેમ કરે છે અને તેમને આવી ક્રૂરતાનો ભોગ બનવા દેવાનું પસંદ નહિં કરે પરંતુ, રિતરીવાજનું પાલન કરવાની તલવાર માથા પર લટકી રહી હોવાથી, તેની વિરૂદ્ધ ઉભા રહેવાની તાકત બહુ ઓછા લોકોમાં છે. સ્વતંત્ર રીતે વિચાર કરવાનો આપણો અધિકાર છીનવી લેવામાં આવી રહ્યો છે અને આપણે આપણા ધાર્મિક આગેવાનોને પ્રશ્ન કરવાની હિંમત કરતા નથી.પ્રત્યેક દિવસે, વિશ્વભરમાં અનેક દીકરીઓ આ પીડામાંથી પસાર થાય છે અને હંમેશા માટે તેમના જીવનમાં અસરો છોડી જાય છે.સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે અને આવી પ્રથા સામે આપણે આપણો અવાજ બુલંદ કરવો જરૂરી છે તેમજ હવે, આ પ્રથાને બંધ કરવા આપણે આપણા ધાર્મિક આગેવાનો સામે માંગ કરવી જરૂરી છે.

ખતના વિષે કેવી રીતે વાતચીત કરવી : પ્રભાવશાળી વાતચીત માટે માર્ગદર્શન

છેલ્લા બે વર્ષમાં દાઉદી બોહરા સમાજે છોકરીઓ માટેની ખતના પ્રથા, જે ખફ્ઝ, ફીમેલ જેનિટલ કટિંગ (એફ.સી.જી) અથવા ફીમેલ જેનિટલ મ્યુટિલેશન (એફ.જી.એમ) તરીકે પણ જાણીતી છે, તે સંબંધી ઘણા વાદવિવાદો જોયા છે. ડેટ્રોઈટ, અમેરિકામાં ફીમેલ જેનિટલ કટિંગના આરોપ હેઠળ દાઉદી બોહરા ડૉક્ટરોની ધરપકડ થયા બાદ, ઘણા દાઉદી બોહરાઓ ખતના બાબતના તેમના મૌનને તોડવા ઈચ્છે છે અને તેમના કુટુંબીજનો અને મિત્રો સાથે એ વિષે વાતચીત કરવા ઈચ્છે છે. ઘણા લોકો તેમના કુટુંબીજનો અને મિત્રોને તેમની દીકરીઓ પર ખતના પ્રથાનો ઉપયોગ બંધ કરવાનું સમજાવવા ઈચ્છે છે.

પરંતુ, આ વાતચીત કેવી રીતે કરવી એ તેઓ જાણતા નથી.

ખતના સંબંધી પ્રભાવશાળી વાતચીત કરવામાં મદદરૂપ થવા માટે અમે એક ગાઈડ તૈયાર કરી છે. અમે ઈચ્છીએ છીએ કે તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે આ બાબત પર વાતચીત શરૂ કરતા પહેલા તમે આ ગાઈડ પર એક નજર કરો.

સાંભળવાની શક્તિ અને વાત કહેવાની કલા પરથી સતત સંવાદ કરતા રહેવાનું સ્વીકારવા અને તેના મહત્વને સમજવામાં આવતી મૂશ્કેલીઓ સંબંધી કેટલાક પાસાઓ વિષે જાણશું.

1) સાભળવું :

અન્ય વ્યક્તિને ધ્યાનથી સાંભળવામાં ખૂબ જ શક્તિ છે. નિર્ણય અને અનુમાન કર્યા વિના, બસ શાંતિથી અને ધ્યાનથી તેમને સાંભળો.

વ્યક્તિએ કેવુ મહેસુસ કરવું અથવા શું કરવું જોઈએ, તેવી સલાહ આપવાના બદલે તેમની વાત સાંભળો અને તેના પર વિચાર કરો.

જોકે, પ્રભાવશાળી સંવાદ માટે એક યોગ્ય મર્યાદા નક્કી કરવી એ મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ તમારી સાથે સારો વ્યવહાર ના કરતી હોય તો, તેમની સાથે સંવાદ બંધ કરી શકો છો

 a) પૂરી વાત કરી શકે તેવા પ્રશ્નો પૂછો :

સૂચક અથવા ટૂંકા પ્રશ્નો જેનો જવાબ ફક્ત હા અથવા ના હોય તેવા પ્રશ્નોના બદલે, ડીટેલવાળા પ્રશ્નો લોકોને તેમની સાથે બનેલી ઘટનાને સમજવામાં મદદરૂપ થાય છે અને તેમની પોતાની આંતરિક શક્તિ સાથે જોડે છે.

 “તમે સારૂં મેહસુસ કરો છો?” તેવો પ્રશ્ન કરવાના બદલે તમે કેવું મેહસુસ કરો છો?” તેવો પ્રશ્ન કરો.

 b) વિચારશીલ ભાષાનો ઉપયોગ કરો :

નીચે જેવા વાક્યોનો ઉપયોગ કરો

  • “મેં સાંભળ્યું કે તમે…..” અથવા
  • “મને એવું લાગે છે કે……”

તેની સાથે ચોક્કસ ના હોય તેવા વાક્યોનો ઉપયોગ કરો જેમ કે,

  • “મને આશ્ચર્ય થાય છે કે તમે….?” અથવા
  • “હું તે બરાબર સમજ્યો?”

તેનાથી લોકોને, તેઓ કેવું અનુભવી રહ્યાં છે તે સમજવામાં અને તમારી સમજને સુધારવામાં મદદ મળે છે તેમજ, તેઓ જે કંઈ કહેવા ઈચ્છે છે તે પ્રત્યેના તમારા ઈન્ટરેસ્ટને બતાવે છે. લોકો તેમના અનુભવનું વર્ણન કરવા જે ભાષાનો ઉપયોગ કરે, તેવી જ ભાષામાં જો તમે તેમની સાથે વાત કરો તો તમે તેમની ઈચ્છા પર ખરા ઉતરો છો અને તમારી સાથે ખુલા દીલથી વાત કરે છે.

તમે કોઈ વ્યક્તિની ખાસ ભાષાને સાંભળો ત્યારે એફ.જી.એમ./સી. સંબંધી શબ્દો ધ્યાનમાં રાખવા. જેમાં, તેઓ એફ.જી.એમ./સી.- “ખતના”, “એફ.જી.સી.”, “સ્ત્રીની સુન્નત” “પ્રક્રિયા” નો સંદર્ભ કેવી રીતે આપે છે તે સમાવિષ્ટ છે. તમે તેવા શબ્દોનો ઉપયોગ ના કરતા હોવા છતાં, બોલનાર વ્યક્તિ જેવા શબ્દોનો ઉપયોગ કરવાથી તેણીને મહેસુસ થશે કે તમે તેણીના નજરયાનો આદર કરો છો.

 c) અંગત અનુભવો માન્ય કરો :

ઘણી વાર લાંછન અને માનસિક આઘાત લોકોને તેઓ એકલા હોય તેવું મેહસુસ કરાવે છે. જ્યારે તમે શરૂઆતમાં તેમની વાત સાંભળો ત્યારે રાજનૈતિક લડાઈ અથવા સૈદ્ધાંતિક દલીલોમાં પડવું યોગ્ય નથી. કોઈ સ્ત્રી ખતના વિષેનો તેમનો અનુભવ જણાવતી હોય અથવા કોઈ વ્યક્તિ એવું જણાવતા હોય કે ધાર્મિક કારણોને લીધે ખતનાનું પાલન થવું જોઈએ તો, તેવી વ્યક્તિને કોઈ તેમને સાંભળી રહ્યું છે તેવો અહેસાસ કરાવી તેમની મદદ કરો. શાંતિથી પૂરી વાત સાંભળ્યા બાદ તમે તમારા વિચારો કહી શકો છો.

2) સંવાદ દરમિયાન એકબીજા સાથે બનેલી ઘટનાઓ શેર કરો:

વાત કરવાની કલા અને હુન્નર, જે એવા લોકોમાં ડર પેદા કરી શકે છે જે એમ માનતા હોય કે તેમની પાસે શેર કરવા જેવી કોઈ વાત નથી. ખાસ કરી, જો તે વાત અંગત, હરામ અથવા છૂપી બાબત વિષે હોય. વાત કરવાની રીત, તેણી શું કહેવા માગે છે, કોને કહેવા માગે છે અને તેના પરિણામ રૂપે તેણી શું અપેક્ષા રાખે છે, તેનો પૂરો વિચાર કરવાની વ્યકિતની ક્ષમતામાં સહાયરૂપ થાય છે, જ્યારે તેણીની વાતનો ઉપયોગ અને તેના ફેલાવ પર પૂરતું નિયંત્રણ મેળવો.

 a) જોખમો જાણો :

અંગત વાતને શેર કરવી, વ્યક્તિને વધારે શસક્ત મેહસુસ કરાવે છે અને એફ.સી.જી.ના અનુભવ હેઠળથી પસાર થયેલા મિત્રો અથવા અન્ય કુટુંબીજનો સાથે જોડે છે. પરંતુ, તેમાં અંગત જોખમો પણ ઉદભવી શકે છે,  વ્યક્તિ તેની વાત જણાવ્યા પછી પોતાને વધુ નિર્બળ અને એકલા મેહસુસ કરી શકે છે અથવા અન્ય લોકો દ્વારા તેને શરમિંદા કરવામાં આવી શકે છે.

લોકો જ્યારે તેમની વાત જણાવે ત્યારે તેમને જબરદસ્તી, બળજબરી અથવા શરમિંદા કરશો નહિં. લોકો તેમની વાત તમારી સાથે શેર કરવા પ્રોત્સાહન અને સહાયતા મહેસુસ કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરો.

 b) ફક્ત પોઈન્ટ્સમાં નહિં, આખી વાત બતાવો :

સ્ટોરીમાં સમજાવવાની, પ્રભાવ પાડવાની, પ્રેરણા આપવાની અને પગલાં લેવા લોકોને પ્રેરિત કરવાની તાકાત હોય છે. માનવીય, જોખમી અને પ્રામાણિક સ્ટોરીઓ સરળતાથી પોઈન્ટ્સમાં બેસતી નથી પરંતુ, અસમાનતા ધરાવતા વિવિધ પ્રકારના લોકોને એકસાથે જોડવાની તેમાં અકલ્પનીય શક્તિ હોય છે. લોકો તેમની વાત તમારી સાથે શેર કરવા પ્રોત્સાહન અને સહાયતા મહેસુસ કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરો.

3) સિક્કાની બન્ને બાજુઓને સ્વીકારો :

ખતનાની પ્રક્રિયા હેઠળથી પસાર થયેલી વ્યક્તિએ પીડા અને ઉદાસીનતાનો અનુભવ કર્યો હોય શકે અને/અથવા એવુ કંઈ જ અનુભવ્યું ના હોય. તેણી તે બાબતને અંગત રાખવા ઈચ્છતી હોય શકે અને તેણીને અન્ય લોકો સાથે ભાવનાત્મક લગાવની જરૂર હોય શકે. તેણી એફ.સી.જી.ને ખોટું માનતી હોવા છતાં, તેણી ધાર્મિક રીતે તેને સાચું માની શકે છે. તેણી એવી અન્ય ઘણા પ્રકારની મિક્સ લાગણીઓ મહેસુસ કરી શકે છે, જે શરૂઆતમાં વિચીત્ર લાગી શકે છે.  ઘણા બધા હકીકતો એક સાથે હોઈ શકે છે એ સમજવું મહત્વનું છે.

ખતના કેવી રીતે કરવામાં આવ્યું અને ખતના પ્રત્યેની તેણી જે મેહસુસ કરે છે તે સંબંધી મુદ્દાઓ સમજવા હંમેશા સરળ નથી હોતા અને બદલાવ તેમજ નવી સમજના દ્વાર ખોલવા, આપણે પરિસ્થિતિના બધા પાસાંઓને સ્વીકારવા અને જાણવા જરૂરી છે. ‘આ/પેલું’ના બદલે ‘બન્ને/તથા’ના રીતનો ઉપયોગ વધુ મદદરૂપ થાય છે.

       તમારા નજરીયાને બદલો :

જો આખું વિશ્વ આ મુદ્દાને તમારા નજરીયાથી જુએ તો તે સરળ હોય શકે છે પરંતુ, વાસ્તવમાં તે શક્ય નથી. વિરોધનું અસ્તિત્વ છે કારણ કે, આપણે ઈન્સાન છીએ અને આપણી અલગ-અલગ પૂર્વભૂમિકાઓ, પંરપરા અને માન્યતાઓનો અર્થ છે કે આપણે વિશ્વને અને તેના મુદ્દાઓને અનોખી અને અલગ-અલગ રીતે સમજીએ છીએ. આપણા બધામાં સમાવિષ્ટ સહાનુભૂતિ અને પ્રેમ જેવા સાર્વત્રિક માનવ સત્યોને માન આપો અને એફ.જી.સી.ના કારણે અમુક સ્ત્રીઓને શારિરીક અને માનસિક પીડા ભોગવે છે, જ્યારે અન્ય સ્ત્રીઓ કહે છે કે તેમને આવી પીડાનો અનુભવ નથી થયો, આવા અમુક ખાસ અને વિશિષ્ટ અનુભવોને ઓળખો. બધા લોકોને સહાય કરવી અને આદર આપવો એ મહત્વની બાબત છે.

4) વાતચીત ચાલુ રાખો :

સામાજિક બદલાવ આવતા સમય લાગે છે અને અવારનવાર આપણે એક સંવાદમાં જેવા પરિણામો જોઈએ છે તે મળતા નથી. તેથી, વાતચીત દરમિયાન જે કંઈ બને તેની નોંધ લેવી મહત્વનું છે અને ક્યારેક બધા પક્ષોને સામેલ થવા દો અને તેના પર વીચાર કરો. તેમ છતાં, તેને તમારી છેલ્લી વાતચીત ના બનવા દો. જો આપણે એકબીજા સાથે સતત વાતચીત કરતા રહીએ તો જ બદલાવ આવી શકે છે.

શા માટે દાઉદી બોહરા ખતના પ્રથા અથવા ફીમેલ જેનિટલ કટિંગને અપનાવે છે?

છોકરીઓ માટેની ખતના પ્રથા શા માટે અપનાવવા આવે છે? દાઉદી બોહરા સમાજ સદીઓથી જાહેરમાં વાતચીત કર્યા વિના છૂપી રીતે બૈરાનીખતનાપ્રથા અપનાવી રહી છે, જે ફીમેલ જેનિટલ કટિંગ (એફ.જી.સી.) તરીકે પણ જાણીતી છે. ફક્ત પાછલા એક વર્ષથી, બોહરા આગેવાનો બોલી રહ્યાં છે કે શા માટે તેઓ સાત વર્ષની છોકરીના ક્લિટોરલ હૂડ ને કાપવાની પ્રથા અપનાવે છે. (બૈરાઓને સેક્સ્યૂઅલ આનંદનો અનુભવ કરવામાં મદદરૂપ થતા યોનિ અને મૂત્રમાર્ગ ની ઉપર આવેલ સંવેદનશીલ નસોવાળા ચામડીના બટન જેવા બંડલને ક્લિટોરિસ કહે છે અને ક્લિટોરિસને નુક્શાન થતું અટકાવવા તેના પરના આવરણને ક્લિટોરલ હૂડ કહે છે.)

જુન 2016માં, સયૈદના મુફદ્દલ સૈફુદિને એક પ્રેસ સ્ટેટમેન્ટ આપ્યું હતુ જેમાં તેમણે ખતનાને “ધાર્મિક શુદ્ધતા”ના કાર્ય તરીકે જણાવી છે. જે,પાછલા વર્ષે સહિયો સાથેની એક અંગત વાતચીતમાંસમાજના એક વરિષ્ઠ પ્રવક્તાએ આપેલા સ્ટેટમેન્ટ જેવું છે, તેમણે દાવો કર્યો હતો કે દાઈમ અલ ઈસ્લામ (10મી સદીનું ન્યાયશાસ્ત્રનું પુસ્તક) અનુસાર બૈરા અને મરદનાખતના પાછળનું મુખ્ય કારણ ફક્ત શારિરીક જ નહિં પરંતુ, “આધ્યાત્મિક” અને “ધાર્મિક” સ્વચ્છતા અથવા તહારત પણ છે.

ત્યારબાદ ફેબ્રુઆરી 2017માં, સમાજના એક વરિષ્ઠ પ્રવક્તાએ ધી હિન્દુસમાચારપત્રને એક અનામી મુલાકાત આપી હતી, જેમાં ફરી દાઈમ અલ ઈસ્લામ ની વાત કરી હતી. તે સિવાય, આ વખતે અનામી પ્રવક્તાએ જણાવ્યું હતુ કે ખતના “બૈરાના ચહેરા પરના તેજમાં અને તેણીના મરદ સાથેના સેક્સ્યૂઅલ સુખમાં વધારો કરવાનું” કાર્ય કરે છે.

હવે, જ્યારથી અમેરિકામાં ત્રણ બોહરાઓની એફ.જી.સી.ના આરોપ હેઠળ ધરપકડ થઈ ત્યારથી કેટલાક બોહરા બૈરાઓ જે ખતનાનું સમર્થન કરે છે તેમણે આ પ્રથાના બચાવમાં સોસિયલ મીડિયાનો સહારો લીધો છે. આ બધાબૈરાઓ દાવો કરે છે કે ખતનાસેક્સ્યૂઅલ ઉત્તેજના માટે અપનાવામાં આવે છે અને તે “વૈજ્ઞાનિક” અને “તબીબી” રીતે લાભદાયક છે કારણ કે તે “પશ્ચિમ દેશોમાં કરવામાં આવતી ક્લિટોરલ અનહૂડિંગ પ્રક્રિયા” જેવી જ છે. તેમાના કેટલાક બૈરાઓ એમ પણ દાવો કરે છે કે ખતનાજનનેન્દ્રિય (જેનિટલ) સ્વચ્છતા માટે અપનાવામાં આવે છે.

વધારે પડતા બોહરા બૈરાઓએ એક પેઢીથી બીજી પેઢીને ખતના પ્રથા આપતીવખતે, હજી સુધી આ રીતે તેનું પારંપરિક વર્ણન કર્યું નથી. પ્રોફેસર રેહાના ઘડિયાલીએ 1991માં, ઓલ ફોર ઈઝ્ઝત નામના એક આર્ટિકલમાં આશરે 50 બોહરા બૈરાઓના ઈન્ટરવ્યૂ લીધા હતા અને તેમાં ખતના માટેના સામાન્ય કારણો આ મુજબ જોવા મળ્યા હતા. ક) તે એક ધાર્મિક ફરજ છે. ખ) તે એક પરંપરા છે અને ગ) તે છોકરીની સેક્સયુઆલિટીને કાબુમાંરાખવા માટેઅપનાવામાં આવે છે.

ત્યારથી, કેટલાક સ્વતંત્ર સંશોધનકર્તા, કાર્યકર્તાઓ અને ફિલ્મ નિર્માતાઓને બોહરા બૈરાઓ સાથેની તેમની અસંખ્ય વાતચીતો દરમિયાન તેવા જ કારણો જોવા મળ્યા. બોહરા સમાજના મોટા ભાગના લોકોએ સતત દાવો કર્યો છે કે તેઓ તેમની છોકરીઓનું ખતના, તેમની સેક્સયુઅલ ઈચ્છાઓને કાબુમાં રાખવા અથવા તો ચૂપચાપ ધાર્મિક પરંપરાને અનુસરવા માટે અપનાવે છે. ઘણા બોહરા લોકો તો ક્લિટોરિસને “હરામ ની બોટી” અથવા પાપી માંસના ટુકડા તરીકે બતાવે છે.

સહિયોએ કરેલા 385 બોહરા બૈરાઓના રીસર્ચમાં પણ તેવા જ કારણો જોવા મળ્યા હતા. વધારે પડતા જવાબ આપવાવાળાઓએ દાવો કર્યો કે ખતના પ્રથાને પારંપરિક રીતે અથવા સેક્સયુઅલ ઈચ્છાઓને કાબુમાં કરવા માટે અપનાવામાં આવે છે, જ્યારે બહું ઓછાબૈરાઓએ “સ્વચ્છતા”, “તબીબી લાભ” અથવા “જાતીય સુખમાં વધારા”ને ખતના પ્રથાના કારણો બતાવ્યા હતા. 2012 માં ફિલ્મ નિર્માતા પ્રિયા ગોસ્વામિ, જ્યારે તેણીની ડૉક્યુમેન્ટરી પિંચ ઓફ સ્કિન નું રીસર્ચ કરી રહી હતી ત્યારે બોહરા ધાર્મિક સંસ્થાની એક મહિલા શિક્ષકે તો તેણીને સ્પષ્ટ રીતે જણાવ્યું હતુ કે ખતના પ્રથા પાછળનું મુખ્ય કારણછોકરીઓની સેક્સયુઅલ ઉત્તેજનાઓને કાબુમાં કરવાનો છે જેથી, તેણી શાદી પહેલાં અથવા પછી અન્ય કોઈ વ્યક્તિ સાથે સેક્સ્યૂઅલ સંબંધો ના રાખે.

તો, શા માટે આજકાલના ઓનલાઈન ખતનાવિરોધીઓ તેની ઉલટી હકીકત આપીરહ્યાં છે અને દાવો કરી રહ્યાં છે કે બૈરાનુંખતના તેણીના સેક્સ્યૂઅલ સુખમાં વધારો કરવા માટે અપનાવામાં આવે છે? ખતના પ્રથા પાછળનું સાચુ કારણ શું છે?

આ બાબતને સમજવા ચાલો આપણે, બૈરાના ખતના વિષે ઈસ્લામિક પુસ્તક શું કહે છે તે જોઈએ.

ખાસ કરીને ઈસ્લામના શફી, હનબલી અને હનફિની કેટલીક ખાસ હદીથો છે, જેમાં ખતનાને સ્વીકાર્ય, ઈજ્જતવાળુ અથવા તો એક સુન્નત (સલાહભર્યું) તરીકે બતાવી છે. વિશ્વના ઘણા ઈસ્લામિક વિદ્વાનો વર્ષોથી આ હદીથની સચ્ચાઈ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પરંતુ, આપણે તેને સાચુ માનીએ તો પણ, આ હદીથ એ મુખ્ય સચ્ચાઈને પાકી કરે છે કે પેગંબર મહમ્મદના સમયમાં પણ અરેબિયન પ્રદેશોમાં પહેલાંથી જ ખતના પ્રથા ચાલુ હતી, ખતનાઈસ્લામમાં દાખલ કરેલી કોઈ નવી ધાર્મિક પ્રથા નથી.

એક હદીથ, સુનાન અબુ દાઉદ પુસ્તક 41, જેમાં વારંવાર સુનાન અબુ દાઉદની વાત કરવામાં આવી છે. તેમા નીચેની એક ખાસ બાબત સમાવિષ્ટ છે :

ઉમ્મ અતિય્યાહ અલ-અન્સારિયા માંથી:
એક સ્ત્રી મદિનામાં ખતના કરતી હતી ત્યારે પેગંબરે (પી.બી.યુ.એચ.) તેણીને કહ્યું હતુ કે વધારે કાપીશ નહિં કારણ કે તે બૈરા માટે વધારે સારૂં હોય છે અને મરદ ને વધારેગમે છે.

પેગંબર, સ્ત્રીને વધારે કાપવા અંગે સાવચેત કરે છે તે ઘટનાનુંઅલગ-અલગ વિદ્વાનોએ અલગ-અલગ રીતે અર્થ અને ભાષાંતર કર્યું છે. અમુક વિદ્વાનોએ તેનું ભાષાંતર એમ કર્યું છે કે “વધારે કાપશો નહિં કારણ કે તે બૈરાઓના સેક્સ્યૂઅલસુખ માટે છે અને મરદ દ્વારા તે વધારે પસંદ કરવામાં આવે છે”, જ્યારે અન્ય વિદ્વાનોએ તેનું ભાષાંતર એમ કર્યું છે કે “…તે ચહેરાના સૌંદર્યનું કારણ છે અને મરદ માટે તે વધુ આનંદદાયક છે.”

ધી પિલ્લર્સ ઓફ ઈસ્લામ (દાઈમ અલ-ઈસ્લામનું ઈસ્માઈલ પુનાવાલાએ કરેલુ અંગ્રેજી ભાષાંતર) ના વોલ્યુમ 1ના પેજ નં. 154 પર એક આવા જ વાક્યને એ રીતે ભાષાંતરીત કરવામાં આવ્યું છે કે “હે બૈરાઓ, જ્યારે તમે તમારી દીકરીઓનું ખતના કરો ત્યારે થોડો ભાગ છોડી દો (લેબિઆ અથવા ક્લિટોરિસનો ભાગ), તે તેણીના શુદ્ધ ચરિત્રનેબતાવશે અને તે બૈરાઓ તેમના મરદોને વધારે વહાલા લાગશે.” ઉપર બતાવેલ ધી હિન્દુ સમાચાર પત્રના એક ઈન્ટરવ્યૂમાં સમાજના એક પ્રવક્તાએ તેનું આવુ જ કંઈ ભાષાંતર કર્યું હતુ કે “બૈરાના ચહેરા પરના તેજમાં અને તેણીના મરદ સાથેના સેક્સ્યૂઅલ સુખમાં વધારો કરે છે”. (ઈટાલિક્સમાં આપેલ ભાગ ઉમેરવામાં આવ્યો છે.)

હું કોઈ અરેબિક વિદ્વાન નથી પરંતુ, આ અલગ-અલગ ભાષાંતર પરથી એ સ્પષ્ટ છે કે અલગ-અલગ અરેબિક અને ઈસ્લામિક વિદ્વાનોએ આ સંદેશનું થોડા તફાવત અને વિરોધાભાસ સાથે એક સરખો અર્થ કર્યો છે. અમુક લોકો તેને બૈરાના ચહેરાના “તેજ” અથવા “સૌંદર્ય” માં (જે તેણીના જાતિય સંતોષનો સંદર્ભ છે, અક્ષરશઃ તેજ નહિં) વધારો કરવાના રૂપે ભાષાંતરીત કર્યું છે, તોઅન્ય લોકોએ તેને બૈરા માટે “વધારે સારૂં” અથવા “શુદ્ધ” (જે તેણીની જાતિય શુદ્ધતાના સંદર્ભમાં હોય શકે છે) રૂપે ભાષાંતરીત કર્યું છે.

બધા મુસ્લિમો સહમત થશે કે જુની ઈસ્લામિક અરેબિકના શબ્દો વારંવાર અચોક્કસ અથવા ઘણા બધા અર્થોવાળા હોવાના કારણે તેને સમજવી સરળ નથી. પરંતુ, આ અચોક્કસતા આપણને એ સમજવામાં મદદરૂપ થઈ શકે છે કે, શા માટે બોહરા બૈરાની ઘણી પેઢીઓ માને છે કે ખતના બૈરાઓની સેક્સ્યૂઅલ ઈચ્છાને કાબુમાં કરવા માટે અપનાવામાં આવે છે અને શા માટે અન્ય બોહરા આ જ શબ્દોનો ઉપયોગ, એવો દાવો કરવા માટે કરી શકે છે કે ખતના સેક્સ્યૂઅલ સુખમાં વધારો કરવા માટે અપનાવામાં આવે છે.

હાલમાં જ ખતનાના ઉગ્ર સમર્થકો (સપોર્ટર) અને સુન્નિ ઈસ્લામિક વિદ્વાન આસિફ હુસૈન દ્વારા આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. સ્પીક આઉટ ઓન એફ.જી.એમ.ના ફેસબૂક પેજ પરની એક ટિપ્પણીમાં તેમણે “સેક્સ્યૂઅલ સુખના વધારા” અને સ્ત્રીની શુદ્ધતા બન્ને વચ્ચેના સંબંધનો જીકર કર્યો છે. તેમણે કહ્યું છે કે :

તે [ક્લિટોરલ હૂડ કાઢવું] સ્ત્રીને અવશ્ય સેક્સ્યૂઅલ સુખનો સંતોષ આપે છે અને તેથી, એ તેણીની શુદ્ધતાની ખાતરી કરે છે. પ્રાચીન કાયદાશાસ્ત્રીઓ એવા સંકુચિત લોકો નહોતા. તેમણે પેગંબરના આ એક વાક્ય પરથી તેના સાચા અર્થનું અનુમાન કર્યું છે.

અન્ય શબ્દોમાં કહીએ તો, બૈરાના લગ્ન જીવન દરમિયાન તેણીના સેક્સ્યૂઅલ સુખની ખાતરી કરીને ખતના એ બાબતની ખાતરી કરશે કે તેણી સેક્સ્યૂઅલ સુખ માટે લગ્ન જીવનની બહાર જતી નથી. પેગંબરના શબ્દોના અલગ-અલગ અર્થ વચ્ચેનો આ સંબંધ સાચો લાગી રહ્યો છે અને જો તેને માનવામાં આવે તો, ખતના બૈરાના સેક્સ્યૂઅલ કાબુ મેળવવાસંબંધી બાબતપર કેન્દ્રિતછે.

 પરંતુ, શું ખરેખર આપણે બૈરાઓની જાતિય ઈચ્છાઓને કાબુમાં કરવાની કે વધારવાની જરૂર છે?

છેલ્લે તમે કોઈપણ કારણ આપો તો પણ, છોકરીના અંગછેદનની પ્રથાને વાજબી ઠેરાવી શકાય નહિં, ભલે તે કેટલી પણ “નાની” પ્રક્રિયા હોય.

કોઈપણ વ્યક્તિને બૈરાની સેક્સ્યૂઅલ ઈચ્છાઓ પર કાબુ રાખવાનો અથવા તો તેણીને શુદ્ધ બનવાનું કહેવાનો અધિકાર નથી. આ બધા પુરુષપ્રધાન વિચારો છે જેનું આજના વિશ્વમાં કોઈ સ્થાન નથી. તેજ રીતે, કોઈ પણ વ્યક્તિને એક નાની છોકરીનું અંગછેદન કરી તેણીના ભવિષ્યના સેક્સ્યૂઅલ જીવનને સારૂં બનાવવાનો પ્રયત્ન કરવાનો અધિકાર પણ નથી. સાત વર્ષની ઉંમરની કન્યાઓ સાથે સેક્સ્યૂઆલિટી સંબંધી છેડછાડ બિલકુલ થવી જોઈએ નહિં, તેમને સેક્સ્યૂઅલ સુખઅથવા અલગ અલગ જનન અંગોના કાર્યોની પણ સમજ હોતી નથી. શા માટે આપણે તેમના જનનાંગોને સ્પર્શ કર્યા વિના જન્મથી કુદરતી રીતે જેવા છે તેવા જ રહેવા દેતાનથી?

યાદ રાખો કે ક્લિટોરલ હૂડ શરીરનો એક મહત્વનો ભાગ છે, તે ક્લિટોરિસને વધારે ઉત્તેજન, ઘર્ષણ અને જખમ સામે રક્ષણ આપે છે અને સેક્સ્યૂઅલ ઉત્તેજના દરમિયાન ક્લિટોરિસને ખુલ્લું કરવા તે સ્વાભાવિક રીતે જ પાછું ખેંચાય છે. ક્લિટોરિસને ખુલ્લું કરવા તેને કાપવું જરૂરી નથી. આપણા શરીરના અંગો સાથે બ્લેડથી છેડછાડ કરતા પહેલાં આપણે તેના સ્વાભાવિક કાર્યોને સમજવા જોઈએ.

જાણ્યા-વિચાર્યા વિના ખતનાને “પશ્ચિમ દેશોના” ક્લિટોરલ અનહૂડિંગ સાથે સરખાવાનો દાવો કરવાના બદલે, આપણે એ સમજવું જોઈએ કે પરવાનગી વિના નાની છોકરીઓ પર ક્લિટોરલ અનહૂડિંગ કરવામાં આવતુ નથી. કામોત્તેજના દરમિયાન પ્રીપ્યુસ ટિસ્યુ (ક્લિટોરલ હૂડ) અવરોધ પેદા થતો હોય તેવી સમસ્યા ધરાવતી, જાતિય સુખમાં એક્ટિવ (સક્રિય) અમુક જબૈરાઓ તેને પસંદ કરે છે.

છેલ્લે, જો તમને લાગતું હોય કે ખતના પ્રથા પાછળનું અસલી કારણ તાહરત છે તો યાદરાખો કે, શારિરીક સ્વચ્છતાને સાબુ અને પાણી દ્વારા સારી રીતે જાળવી શકાય છે અને “આધ્યાત્મિક” અથવા “ધાર્મિક” શુદ્ધતા પ્રાપ્ત કરવાનો મુખ્ય સ્ત્રોત વ્યક્તિના જનનાંગોમાં નહિં પરંતુ, તેમના વિચારો, શબ્દો અને કર્મોમાં હોય છે.

(This article was first published in English on May 19, 2017. Read the English version here.)

ખત્ના કરાવવી કે નહીં? આપણી દીકરીઓને મોટી થવા દો અને જાતે નિર્ણય લેવા દો

લેખિકા : ઈન્સિયા
વય : ૩૪ વર્ષ
શહેર : મુંબઈ, ભારત

હું એક જાણીતા અને સુશિક્ષિત પરિવારની સભ્ય હોવાથી મને હંમેશા કશુંક જુદું વિચારવાની તક મારા કુટુંબે આપી છે. અમારી કોમના નિયમોને ધ્યાનમાં લીધાં વિના, મારા માતાપિતા હંમેશા મને ટેકો આપતા આવ્યા છે. મને શિક્ષણ અપાયું હતું અને મારા ભાઈઓની જેવા સરખા અધિકારો અપાયા હતા. મારી વાતની કદી ઉપેક્ષા નહોતી કરાતી અને મારા અભિપ્રાયોને ધ્યાનમાં લેવાતા હતા. હું એક દીકરી હતી, પરંતુ મારી સાથે એક દીકરા જેવા વ્યવહાર કરાતો હતો.

પણ અમારી કોમ સહેજ વધુ એકબીજાની સાથે નજીકથી સંકળાયેલી હોવાથી, મારે શું કરવું જોઈએ તે વિશે બોલવાનો દરેકને અધિકાર હતો. મારા પરિવારમાંની તમામ મહિલાઓ અમારા પર તેમના વિચારોને પ્રભાવ પાડી રહી હોવાથી, મારી વય જ્યારે સાત વર્ષની હતી ત્યારે મારી માતા સંમત થયાં હતાં કે મારે ખત્ના કરાવવી જોઈએ.

એ દિવસ મને આજે હજી પણ સ્પષ્ટપણે યાદ છે. મારી ખત્ના કરાવવા માટે મારી માતા અને માસી પુણેમાં આ મહિલાના ઘરે લઈ ગયાં હતાં. કદાચ હવે દુ:ખાવો મને યાદ નહીં આવે, પરંતુ એ દિવસનો ભય, ઉદાસીનતા અને અવિશ્ર્વાસ હજી કાયમ છે. મારી અનેક પિત્રાઈ બહેનો હજી મને પૂછે છે, ‘‘જે કંઈ બન્યું તે વિશે તું શા માટે આટલી બધી વ્યથિત છે? શું તેથી આપણે કોઈ પણ રીતે બદલાયાં છીએ?’’

હું સંમત થાઉં છું કે ખત્નાથી સેક્‌સ (જાતીય સુખ) માણવા પ્રત્યેની મારી ઇચ્છા કદાચ નહીં બદલાઈ હોય, પરંતુ આપણી માતાઓ પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ બદલાયો છે. જેઓ આપણને એવું જણાવે કે આપણને બળજબરીથી કોઈ સ્પર્શ કરે, ખાસ કરીને આપણાં ગુપ્તાંગોને સ્પર્શ કરે એ ખોટું છે, પરંતુ તો પછી તેઓ જાતે એક અજાણી મહિલાની પાસે શા માટે લઈ જાય છે? જે આપણી પેન્ટ ઉતારી પાડે છે અને આપણને સ્પર્શ કરે છે? આપણી માતાઓ અને માસીઓ-કાકીઓ કેમ એવું નથી વિચારતાં કે સાત વર્ષ એવી વય નથી કે જે વયે બાળકો તેમની સાથે શું કરાઈ રહ્યું છે, તેને સમજવા કે તેનો વિરોધ કરવા પૂરતા પ્રમાણમાં સક્ષમ છે. તેમને એવી પ્રતીતિ કેમ નથી થતી કે આની આપણા પર એવી માનસીક અસર પડશે કે જે પાછળથી આપણાં માતાપિતાને તેમના નિર્ણય બદલ ખેદ દર્શાવતાં કરી મૂકશે.

બાળજન્મની વેદના મને યાદ નથી, પરંતુ મેં અનુભવેલી લાગણીઓ મને આજે પણ જેમની તેમ યાદ છે. આજની કુમળી કન્યાઓ માટે પણ આ વાત લાગુ પડે છે. પુખ્ત વયની મહિલાઓ માટે ખત્નાની પ્રથા નાબૂદ કરવી જોઈએ કે નહીં તેનો નિર્ણય હું લઈ નહીં શકું, પરંતુ કુમળી કન્યાઓની ખત્ના નહીં કરવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે, બાળપણ તમારાં બાળકોને એવી ખાતરી કરાવવા માટે હોય છે કે તેઓ સુરક્ષિત છે અને તમે તેમને નહીં ડરાવો એવો તેમને વિશ્ર્વાસ હોય છે. આપણી કન્યાઓને મોટી થવા દો. તેમના શરીરમાં આપણે જે કોઈ ફેરફારો કરવા માગીએ છીએ તે વિશે તેમને માહિતગાર કરો. આપણા મઝહબ વિશે આપણાં બાળકોને આપણે કેળવીએ, નહીં કે પ્રથા-રિવાજો વડે તેમને ગભરાવીએ.

મને ખબર છે કે ઘણા લોકો મારી વાત સાથે સંમત નહીં થાય અને ભલે તેઓ અસંમતિ દર્શાવે. કારણકે હું ફક્ત મારો દૃષ્ટિકોણ રજૂ કરવા માગું છું. હું બે દીકરીઓની માતા છું. મને ખબર છે કે મારી અથવા અમારા વડીલોની માન્યતાઓને અનુસરવાની તેમને ફરજ નહીં પાડીને તેમના જીવનને હું બહેતર બનાવી શકું. હું તેમને એવી કેળવણી આપવા માગું છું કે આપણી કોમ એક એવી પ્રગતિશીલ કોમ છે, જ્યાં આપણે આત્મવિશ્ર્વાસી, શિક્ષિત મહિલાઓ છીએ, જેઓને ઉદ્યમશીલો (કામકાજમાં પાવરધા) બનવા માટે શિખવાડાયું છે અને આપણે ઇચ્છીએ છીએ એવો રસ્તો પસંદ કરવાનો અધિકાર તેઓ ધરાવે છે.

આપણી કોમમાંની દીકરીઓની તમામ માતાઓ, કૃપયા હું શું જણાવી રહી છું તે વિશે સહેજ વિચાર કરે. આપણી દીકરીઓને મોટી થવા દો અને પોતાની પસંદગીઓ કરવા દો. તેમના વતી આપણે નિર્ણયો નહીં લેવા જોઈએ.

ખત્ના: એક માતાની વ્યથા અને એક પુત્રની દુષ્કર્મનો બદલો લેવા માટેની શોધ

લેખક : અનામી
વય ૩૧ વર્ષ
દેશ : અમેરિકા

મારી માતા ખુદાના બંદા અને દ્રઢ ધાર્મિક માન્યતા વાળા છે. દાઉદી બોહરા સમુદાયના જન્મજાત ધર્મગુરુને માનવાવાળો, તેમણે કદી પણ તેનો હિસ્સો બની રહેવાથી ક્યારેય આનાકાની નથી કર્યાં. ઝળહળતા, રંગબેરંગી હિજરી કૅલેન્ડર આધારિત દરેક પ્રસંગોમાં તેઓ અચૂક હાજરી આપે છે. દાયકાઓથી, આ હિજરી કૅલેન્ડરે, દરગુજર કરી નહીં શકાય એવા અંધકારને સંતાડવાના અને કોમની ઝાકઝમાળ જાહોજલાલીનો   દેખાવ કર્યે રાખ્યો છે. અમુક સમયથી હું કોમથી દૂર રહ્યો છું. અમારા કોમના અમુક હડહડતા જુથાણાઓ, ખાસ કરીને હિજરી કૅલેન્ડરમાં વાસ્તવિક સંબંધ ન હોય તેની વિરુદ્ધ મેં ઘણી વાર અવાજ ઉઠાવ્યો છે. લયલતુલ કદ્ર, રમઝાનની સૌથી મુબારક (પવિત્ર) રાત હવે હિજરી કૅલેન્ડર પર નાનકડું ટપકું બની ગઈ છે અને હિઝ હોલિનેસ, સૈયદના મુફઝ્ઝલ સૈફુદ્દીનનના જન્મદિન વડે ઢંકાઈ ગઈ છે, જે એ જ દિવસે આવે છે. મારી માતા મારી ટીકાઓને હળવાશથી નથી લેતાં અને હંમેશાં મને ખુલ્લું મન રાખવા જણાવે છે, એક મિનિટ માટે  કોમમાં બનતી ઘટનાને ભૂલી જવા અને કોમની રુહાનિયત તથા બંદગીની તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મને અનુરોધ કરે છે. તેઓ હંમેશાં એક દુષ્કૃત્યની સામે પવિત્ર બની રહ્યાં છે અને કોમની વ્યાકુળતા સર્જનારી અનેક સચ્ચાઈઓની તેઓ ઉપેક્ષા કરે છે.

પરંતુ બે મહિના અગાઉ, તેમણે ખત્નાની પ્રથા સામે પોતાનો આક્રોશ અને વિરોધ વ્યક્ત કર્યો ત્યારે હું ચોંકી ઊઠ્યો. આ વિનાશકારી અને જંગલી પ્રથા પર ‘સહિયો’એ વ્યાપક પ્રકાશ પાડ્યો છે. છોકરીઓ ધરાવતા તમામ પરિવારમાં અને ખત્નાને ખૂબ જ ગુપ્ત રાખતી કોમમાં હું ઊછર્યો હોવાથી, કેવળ ‘સહિયો’ મારફતે અને આ પ્રથાના લાંછનની અને તેમના જીવનમાં સર્જેલા દુખ:ની ચર્ચા કરવાની હિંમત દાખવનારી અનેક મહિલાઓએ લખેલા લેખો દ્વારા મને આ પ્રથા વિશે જાણવા મળ્યું હતું.

પરંતુ મારી માતાએ પોતાના અનુભવો વિશે મને વાત કરી ત્યારે હું સખ્ત આઘાત પામ્યો. આ ખૂબ જ ધર્મનિષ્ઠ મહિલા, જેઓ પોતાનું સમગ્ર જીવન બોહરા કોમ માટે હિમાયતી બની રહ્યાં અને ચોક્કસ પ્રથાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવા પોતાનાં સંતાનોને ઉત્તેજન આપતાં રહ્યાં હતાં, આ ખત્ના પ્રથાની ઉપેક્ષા કરવા માટે ક્યારેય તૈયાર નહોતાં. તેમણે તેમના ભાઈને અને મને એમ જણાવ્યું હતું કે જો તેમને દીકરી હોત તો, કદી પણ તેમની સાથે આવું થવા નહીં દેતે. સાત વર્ષની કુમળી વયે પોતાના અનુભવની પીડાજનક વિગત અમણે જણાવી, જ્યારે તેમને ભારતમાં એક પાડોશીના ઘરમાં અંધારાં ભોંયતળિયામાં લઈ જવાયાં હતાં. ત્યાર પછીથી તેમણે વેઠેલી વેદના, આક્રોશ અને લૈંગિક હતાશા તેમની અશ્રુભીની આંખોમાંથી સરી પડ્યા અને હું પણ મારી પોતાની આંખોમાં પણ અશ્રુને રોકી નહીં શક્યો. અન્ય મહિલાઓની આપવીતીઓ વાંચીને મેં અનુભવેલો આક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો જ્યારે મને એવી પ્રતીતિ થઈ કે મને આ દુનિયામાં લાવનારી મહિલાને કેટલી વેદના થઈ હશે. એ મહિલા જેને મારા સમગ્ર જીવનમાં હું પ્રેમ કરતો આવ્યો છું, તેણે આ કોમને માફ કરી અને તેનો હિસ્સો બની રહેવા માટે મને ઉત્તેજન આપ્યું, કારણકે તેમની પેઢી માટે કોમ જ સર્વસ્વ છે અને જમાત ખારીજ (નાત બહાર) બનવાનો વિચાર – પરિવાર અને મિત્રોથી અલગ થવાનો ડર – તમારી વેદના, હતાશા અને આક્રોશને ગળી જવાની અને પૂર્વસ્થિતિ (સ્ટેટ્સક્વો)ને સ્વીકારવાની તમને ફરજ પાડે છે. પણ હવે એ બધું વધુ સહન નહીં થાય.

ખત્ના ફરતેની કદરૂપી ડાયન તેમજ બોહરા સમુદાયના અન્ય તમામ અન્યાયોનો સામનો કરવા માટેના હવે શક્તિશાળી વિકલ્પો ઉભા થયા છે. ત્રીસ વર્ષમાં પ્રથમ વખત કહેવાતા ધર્મગુરુઓ અને તેમના મળતિયાઓ ખૂબ ગભરાયા છે. ગુપ્તાંગ વિચ્છેદન (ખત્ના)ને મદદરૂપ થવા અને ઉત્તેજન આપવા બદલ, તેઓ અનિવાર્યપણે કાનૂની પ્રત્યાઘાતોનો સામનો કરશે એટલો જ ભય નથી, પરંતુ સાચો ડર મબલક નાણાકીય લાભો ગુમાવવાનો છે. રોકડ રકમથી ભરેલાં પરબીડિયાં, ઝિયાફતોમાં મળતા લાખો રૂપિયા/ડોલર, મકાનો, કારો અને પરંપરાગત હજારો નાના વહોરા ધંધાઓ જે એક જમાનામાં ઈજારાશાહી ધરાવતા હતા તેની પરનું સામાજીક અને નાણાકીય બન્ને નિયંત્રણ ગુમાવવા લાગ્યા છે.

આવા વધુ અન્યાયો પ્રત્યે આંગળી ચિંધાશે ત્યારે જ વધુ વહોરાઓ જે દેખીતી રીતે હજારોની સંખ્યામાં છે, તેઓ રૂહાની (આધ્યાત્મિક) જ્ઞાન મેળવવા માટે અન્યત્ર જશે. આવી નાણાકીય ખોટ સાથે તેઓ કદી વૈભવશાળી જીવનશૈલીને ટકાવી નહીં શકે જેમાં તેઓ ઊછર્યા છે અને દોમ દોમ સાહયબી ભોગવી છે.

પરંતુ ખાલી શબ્દો કરતા વાસ્તવિક કૃત્ય હંમેશા વધુ મોટા અવાજે પોકારે છે. પ્રથમ પગલું, જે આવશ્યક છે, તે પગલું આ પ્રથા વડે અસર પામેલી તમારા જીવનમાંની વિશેષ મહિલાને શોધવાનું છે, એ મહિલાની સાથે બેસો, તેની સાથે વાત કરો અને તેણે કેવી યાતના અનુભવી છે તેને સમજો. આવો પ્રચંડ ક્રોધ તમારામાં પણ પેદા થશે જે મેં અનુભવ્યો છે.

અત્યારે પ્રચંડ ક્રોધ વ્યક્ત કરવાની જ આપણા માટે આવશ્યકતા રહે છે. આપણી પેઢીમાં એવા લોકોની આપણને જરૂર છે જેઓ રોષે ભરાય. આ કોમનો ત્યાં સુધી બહિષ્કાર કરે જ્યાં સુધી તે લોકોની રુહાની જરૂરિયાતોની સેવા બજાવવા તેને સોંપાયેલી કામગીરીને પૂર્ણ કરવા માટે પાછી નહીં કરે. મઝહબી કોમ આવું કરી શકે અને આવી હોવી જોઈએ.

ખત્નાના પોતાના અનુભવ વિશે મારી માતાએ મને જે રાતે જણાવ્યું ત્યારે તેમની આંખોમાં જોયેલી વેદનાને હું કદી નહીં ભૂલીશ. હું તેની સાથે આગળ વધીશ અને આ પ્રથાનો અંત આવે એવું સુનિશ્ર્ચિત્ત કરવા માટે લડતો રહીશ, આપણે તમામેં પોતાના પક્ષે આવતી ભૂમિકા ભજવીએ તો આ પ્રથા કોમની અન્ય અનૈતિક પ્રથાઓની સાથે બંધ થશે. દિલમાં જોમ અને જુસ્સા સાથે આપને બધાએ આ કામગીરી બજાવવી રહી. આપણાં માતાપિતાની સાથે થયું હતું એવી રીતે આપણા જીવનનો નાશ કરવાની તેઓ ધમકી આપી નહીં શકે. અત્રે આપણી પાસે તમામ હથીયારો છે. સંગઠિત થઈને મજબૂત હાથ રમવાથી આપણે ડરવું નહીં જોઈએ.

દાઉદી બોહરા મહિલાઓ માટે ‘સહિયો’એ યોજ્યો દ્વિતીય ‘થાલ પે ચર્ચા’ કાર્યક્રમ

ગત પહેલી જુલાઈએ ‘સહિયો’એ તેનો દ્વિતીય ‘થાલ પે ચર્ચા’ કાર્યક્રમ યોજ્યો હતો. દાઉદી બોહરા સમુદાયની ૨૦ મહિલાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ‘થાલ પે ચર્ચા’નો સામાન્ય શબ્દોમાં ‘ભોજન કરવાની સાથોસાથ ચર્ચા’ તરીકે થાય છે. ‘સહિયો’નો આ ફ્લેગશિપ કાર્યક્રમ છે, જેમાં બોહરા મહિલાઓને ખાનગી, અનૌપચારિક વાતાવરણમાં ભેગી કરાય છે, જેથી તેઓ ભોજન કરતી વખતે એકબીજાની સાથે સંબંધ બાંધે અને FGC (ફિમેલ જેનિટલ કટિંગ) અથવા ખત્ના/ખફઝ જેવી તેમના જીવનને અસર કરતી સમસ્યાઓની ચર્ચા કરી શકે.

‘સહિયો’નો પ્રથમ ‘થાલ પે ચર્ચા’ કાર્યક્રમ ફેબ્રુઆરીમાં યોજાયો હતો અને તેમાં વીસ અને ત્રીસ વર્ષથી મોટી વયની મહિલાઓએ હાજરી આપી હતી. આ વખતના કાર્યક્રમમાં તમામ વય જૂથોની મહિલાઓએ હાજરી આપી હતી, જેમાં સૌથી યુવાન મહિલા ૧૮ વર્ષની હતી જ્યારે સૌથી જઈફ ૭૪ વર્ષના હતા. આ મહિલાઓમાં વિદ્યાર્થિનીઓ, નોકરિયાત વ્યવસાયીઓ, ગૃહિણીઓ તથા એક પ્રૅક્ટિસિંગ ડૉક્ટરનો પણ સમાવેશ થતો હતો. આ ઉદારવૃત્તિ ધરાવતાં મિશ્રણો, દાઉદી બોહરા સમુદાયમાં પ્રવર્તમાન અતિ-ચર્ચિત ખત્ના પ્રથા વિશે, વિભિન્ન વસ્તીઓ ફરતે મહિલાઓની વિચાર પ્રક્રિયાઓનો તાગ મેળવવાની ‘સહિયો’ને તક પૂરી પાડી હતી.

પરિચય કરાવનારા સત્રની સાથે આ કાર્યક્રમ શરૂ થયો હતો અને ત્યાર બાદ પ્રિયા ગોસ્વામીની ફિલ્મ ‘એ પિન્ચ ઑફ સ્કિન’ દર્શાવાઈ હતી. સ્વાદિષ્ટ, પરંપરાગત થાળ ભોજન પીરસાયું હતું અને ખત્ના વિશે મહિલાઓના વિચારોની ખુલ્લા મંચ (ઓપન કોરમ)ની ચર્ચા યોજાઈ હતી.

આ સદીઓ જૂની પરંપરાના પોતાના અનુભવો વિશે વાત કરતી વખતે મહિલાઓને ભાવુક બનેલી જોઈને હિંમત સાંપડી હતી. અમુક મહિલાઓએ તેમની દીકરીઓની ખત્ના કરાવવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. અન્ય મહિલાઓએ જણાવ્યું હતું કે જો તેમને પસંદગી કરવાની તક મળે તો, આ અત્યંત દુઃખદાયક રીવાજ અને તેના લાભ અને ગેરલાભ વિશે કેળવણી પામવાનું તેમને ગમશે અને કદાચ તેમની પુત્રીઓની ખત્ના કરાવવાથી તેઓ દૂર રહેશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નિશ્ર્ચિત્તપણે ૭૪ વર્ષીય વૃદ્ધા હતાં જેમણે તેમની પુત્રીની ખત્ના થવા નહીં દે, એવું સુનિશ્ર્ચિત્ત કરવા વર્ષો અગાઉ પરંપરાઓને પડકારી હતી.

(This report was originally published in English on August 16, 2017. Read the English version here.)