એક સુલેમાનિ બોહરા પૂછે છે કે શું ‘સારા હોવા’ અને ‘ખરાબ હોવા’ ની વચ્ચે ફક્ત એક નાનકડો માંસનો ટુકડો જ છે?

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 09 માર્ચ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. (Read the English version here.)

લેખક :શબનમ મુકબિલ
ઉંમર : 52
દેશ : ભારત

આવું મારી સાથે પણ બન્યુ હતુ…….

જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે બે મહિનાનું ઉનાળાના લાંબા વેકેશનમાં હું મારી માં સાથે મુંબઈની સુલેમાનિ સમાજની એક સીટ, બદર બાગ આવી હતી, જ્યાં મારો જન્મ થયો હતો.

 

સમાજના પરિસરમાં અમારૂં એક સુંદર નાનું કૉટેજ હતું જ્યાં મારી માંએ તેણીનું બાળપણ ગુજાર્યું હતુ. આજે પણ મને તે ઘર વિષેની નાની-નાની દરેક બાબતો યાદ છે જેમ કે, ફર્નિચર અને રૂમમાં તેની ગોઠવણ, રૂમ કેવા હતા, બહારનો સ્વચ્છ નાનકડો બગીચો, નાના બચ્ચાઓ જે મારી સાથે રમવા આવતા હતા, જે સહિયો બની ગઈ અને આજે પણ છે.

વ્યક્તિની છ વર્ષની ઉંમરની યાદો ભૂંસી શકાય નહિં તેવી હોય શકે છે અને તેથી, આવી ખુશીની યાદો ના સાથે-સાથે એક દુખદ ઘટના પણ મને યાદ છે…

 

મને યાદ છે કે હું દિવાલની સામે પહોળા પગ કરી બેઠી હતી અને એક વૃદ્ધ બૈરી ચાકુ લઈને આવતી હતી અને ત્યારબાદ એ અસહ્ય પીડા….. મને બરાબર યાદ નથી પરંતુ સંભવતઃ હું ખૂબ જ રડી હતી. મને એ પણ યાદ નથી કે હું કેવી રીતે ત્યાંથી બહાર આવી– સંભવતઃ લંગડાતા ચાલીને નીકળી, એમ કહેવું વધારે યોગ્ય રહેશે. પરંતુ, જ્યારે પણ મારે ટોઈલેટમાં જવું પડતું ત્યારે થતી પીડા, બળતરા અને લોહીવાળા અન્ડરવેઅર આજે પણ મને બરાબર યાદ છે. મને યાદ છે કે ખૂબ જ પીડા થતી હોવાના કારણે હું ટોઈલેટમાં જવાનું ટાળતી હતી. મને યાદ છે કે હું દોડી અને રમી શક્તી નહોતી, જે મને ખૂબ જ ગમતું હતુ.

અંતે, હું સાજી થઈ ગઈ. વર્ષો વિતી ગયા. હું આ આર્ટિકલ લખી રહી છું તે એ દર્શાવે છે કે હું આ સંકટ માંથી બહાર નીકળી ગઈ છું. શું તેના કારણે મને કોઈ સેક્સ સંબંધી સમસ્યાઓ આવી? મને નથી લાગતું. ખરું કહું તો, સંજોગ વસાત મેં જ્યારે તે વિષે વાંચ્યુ ત્યાં સુધી મને એવું લાગ્યુ પણ નહિં કે હું એફ.જી.સી.નો શિકાર બની છું અને તે જુની અણગમતી અને પીડાદાયક યાદો તાજી થઈ ગઈ અને ત્યારે મને ખરી વાસ્તવિક્તા સમજાઈ.

મને નથી લાગતુ કે મારા સંબંધમાં અથવા એક વ્યક્તિ તરીકે મારા પર તેની કોઈ વિપરીત અસર થઈ હોય પરંતુ, શા માટે 6 વર્ષની એક નાનકડી નિર્દોષ છોકરીને આવી ક્રુર પ્રક્રિયા હેઠળથી પસાર થવું જોઈએ? જેમ દાવો કરવામાં આવે છે તેમ, શું તેનાથી મને એક સારી મુસ્લિમ, શુદ્ધ અથવા પવિત્ર બનાવવાનો ઉદ્દેશ પ્રાપ્ત થયો છે? શું “સારા હોવા” અથવા “ખરાબ હોવા” વચ્ચે ફક્તએક નાનકડા માંસના ટુકડાનો જ તફાવત છે?

હું કદાચ આઘાત મેહસુસ નથી કરી રહી પંરતુ, તે પીડાને હું ક્યારેય નહિં ભૂલી શકું. જે કંઈ થયું તેના માટે હું મારી માંને દોષ નથી આપતી કારણ કે તેણી પર સંબંધીઓનું અને સમાજનું દબાણ હોવાનું હું સમજી શકુ છું. આજે તેણી મારી સાથે આ પ્રથાનો પૂરા દિલથી તિરસ્કાર કરે છે, એવી પ્રથા જેના શારીરિક કે આધ્યાત્મિક એવા આરોગ્ય સંબંધી કોઈ ફાયદાઓ નથી પરંતુ, ફક્ત દુઃખદ પીડા આપે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s